સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

યાદ


મોતની  ય  બાદ   તારી   ઝંખના   કરતો   રહ્યો
કે  તું  જન્નતમાં  મળે  એવી  દુઆ  કરતો  રહ્યો

જો  તું  જાણે  તો  ભરી  મહેફિલ  તજીને સાથ દે
એવી   એકલતાભરી  મારી   દશા   કરતો  રહ્યો

એ હતો એક  મોહ  કે  રહેશું  જીવનભર  સાથમાં
પ્રેમ  તો  એ  છે  જે  આપણને  જુદા  કરતો રહ્યો

મેં  બુરા ખ્યાલો ય રાખ્યા,  ને અમલ પણ ના કર્યો
પાપની  ને   પુણ્યની   ભેગી  મજા   કરતો  રહ્યો

ક્યાં  અનુભવ  જિંદગીના,   ક્યાં  કવિતાનો નશો
ઝેર  જે   મળતું  ગયું,   એની  સુરા  કરતો  રહ્યો

ન્યાય  પણ ‘બેફામ’  આ પાપી યુગે  અવળો  કર્યો
પુણ્ય   મેં  જે  જે  કર્યાં   એની  સજા કરતો રહ્યો

ટિપ્પણીઓ નથી: