સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ગુરુવાર, 24 મે, 2012

આત્માનો સૂર….


વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા

 વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા

દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ આપો

મમ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ભુલો પડી ભવરણે ભટકું ભવાની,

સુઝે નહીં લગીર કોઇ દિશા જવાની

 ભાસે ભયંકર વળી મનના ઉતાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

 આ રંકને ઉગરવા નથી કોઇ આરો

જન્માંધ છું જનની હું ગ્રહી હાથ મારો

ના શું સુણો ભાગવતી શિશુનાં વિલાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું

કોને કહું કઠણ યોગ તણો બળાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

હું કામ, ક્રોધ ,મદ,મોહ થકી છકેલો

આડંબરે અતિ ઘણૉ મદથી બકેલો

દોષો થકી દુષિત ન કરી માફ પાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ના શાસ્ત્રનાં શ્રવણ નુ પયપાન કીધું

ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું

 શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

 રે રે ભવાની બહુ ભૂલ થૈ જ મારી

આ જિંદગી થઇ મને અતિશે અકારી

દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો

બ્રહ્માંડમાં અણુ અણૂ મહીં વાસ તારો

શક્તિનાં માપ ગણવા અગણિત માપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો

ખોટો ખરો ભગવતી પણ હું તમારો

જડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શીખે સુણે રસિકચંદ જએક ચિત્તે

તારા થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે

વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શ્રી સદગુરુનાં ચરણમાં રહીને યજું છું

રાત્રિ દિને ભગવતી તુજને નમું છું

સદભક્ત સેવક તણા પરિતાપ છાપો;

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

અંતર વિષે અધિક ઉર્મી થતાં ભવાની

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃગાણી

સંસારના સકળ રોગ સમૂળ કાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ગોવિંદો પ્રાણ અમારો


ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રેગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇના મહેલમાં રે, હરિસંતોનો વાસ,
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસગોવિંદો પ્રાણ અમારો રે
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીંરાને હાથ,
સાધુની સંગત છોડીને મીરાં, વસો અમારી સાથગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ,
રાજપાટ છોડી તમે રાણાજી,વસો સંતોની સાથગોવિંદો પ્રાણ અમારો રે
વિષનાં પ્યાલા રાણાએ મોકલ્યા, દે જો મીંરાને હાથ,
અમૃત માની મીંરા પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથગોવિંદો પ્રાણ અમારો રે
સાંઢવાળા સાંઢ શણગારજે રે , મારે જાવું સો-સો કોશ,
રાણાજીનાં દેશમાં મારે, જળ રે પીવાનો દોષગોવિંદો પ્રાણ અમારો રે
ડાબો મેલ્યો મેવાડને મીંરા, સંચર્યા પશ્ચિમમાં ય,
સર્વ છોડી મીંરા નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંયગોવિંદો પ્રાણ અમારો રે
સાસુ અમારી સુષુમણાને સસ્રો પ્રેમ સંતોષ,
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષગોવિંદો પ્રાણ અમારો રે
ચુંદડી ઓઢું તો રંગ ચૂવે રે, રંગબેરંગી હોય,
ઓઢું હું કાળૉ કામળો બીજો દાગ ન લાગે કોયગોવિંદો પ્રાણ અમારો રે
મીંરા હરિની લાડલી રે, રહેતી સંત હજૂર,
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂરગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇ