સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

નવજીવન


પ્રભુ જીવન દે  હજી  જીવન દે  વિપદો  નિતનિત્ય  નવીન  પડે
ડગલું  ભરતાં  કુહરે  જ  પડે  કંઈ  ગુપ્ત ભયો  મહીંથી ઊઘડે

વનકંટકથી  તન  રક્ત  ઝરે  પણ  તોય  ન  અશ્રુ  કદાપિ ખરે
દ્રગ, એ  પડીને  ફરીથી  ઉપડે પગ,  એટલું  હે  પ્રભુ  જીવન દે

પ્રભુ  જીવન દે!  નવજીવન દે!

પ્રભુ બંધનમાં  જકડાઈ  ગયો  મુજ  દેહ  બધો અકળાઈ  ગયો
અવ ચેતન દે!   નવચેતન  દે!

સૌ એક જ ઘાથી  હું તોડી દઉં  તલ ગાઢ  અહંત્વનું  ફોડી દઉં
તુજ વારિ વિશાલ  મહીંથી  ઉડે  લઘુ પામરતા  બધી માંહી બુડે

જલ એ ઉભરી અભર્યું  જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે
પછી  દર્દુર  દીર્ઘ  રવે  જ  ભલે   દિનરાત  ડરાઉં  ડરાઉં  કરે

પણ  નિર્ભય મુક્ત અસીમ જલે  ઝીલતાં જનશું મળવાનું  જ દે
પ્રભુ  ચેતન  દે!   નવચેતન  દે!

યદિ એ નવ દે –
પણ  જીવનઓટ ન ખાળી શકું   મુજ  જીવનખોટ ન  વાળી શકું
હળવે  મુજ  જીવનહ્રાસ  થતો   અમ નિર્બળનો  ઉપહાસ  થતો
જગ ટાળી  શકું  નહિ, એવું ન દે!

પ્રભુ  એ  કરતાં
મુજ આયુષશેષ ય સંહરતાં
ઘડી  યૌવન  જીરણ  અંગ  તું દે!

પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે
બીજું ના કંઈ તો બસ આટલું જ દે  જગપાપશું કૈં લડવાનું જ  દે
લડી  પાર  અને પડવાનું  જ   દે!

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે  ધસી  મૃત્યુમુખે હસવાનું જ   દે
જીવવા   નહિ   તો   મરવા     કોઈ    ભવ્ય   પ્રસંગ   તું   દે

ઘડી  એ  બસ  એટલું  યૌવન દે  પ્રભુ  યૌવન  દે  નવયૌવન દે

ટિપ્પણીઓ નથી: