સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

આશ્વાસન

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય

વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo
શ્રવણ કાવડ લઈને ફરતો,
સેવા માત-પિતાની કરતો,
                        તીરથે તીરથે ડગલા ભરતો
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,
સેવા માત-પિતાની કરવા,
ઘડુલો ભરતા મૃગલા જેવા
શબ્દો થાય થાય થાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

દશરથ મૃગલા રમવાને આવે,
શબ્દ સુણીને બાણ ચલાવે,
                એ બાણે શ્રવણનો જીવ છોડી,
                ચાલ્યો જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

અંધ માત-પિતા ટળવળતા,
દીધો શ્રાપ જ મરતા-મરતા.
                દશરથ પુત્ર વિયોગે મરતા
                કરતા હાય હાય હાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

જ્યારે રામજી વન સંસરીયા,
દશરથ પુત્ર વિયોગે મરિયા.
                અમૃત કહે દુઃખના દરિયા,
                ઉભરાય જાય જાય જાય.
વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

ટિપ્પણીઓ નથી: