સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

દિલીપ વિના

સ્નેહહધામ સૂનાં સૂનાં રે

સૂનાં    મંદિર   સૂનાં    માળિયાં
  ને મારા સૂના  હૈયાના   મહેલ  રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      આઘી   આશાઓ   મારા   ઉરની
        ને કંઈ  આઘા આઘા  અલબેલ  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનાં   સૂનાં   તે   મારા   ઓરડા
  ને  એક  સૂની  અંધાર   રાત   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      પાનાં       પ્રારબ્ધના        ફેરવું
        મહી  આવે   વિયોગની   વાત  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂની    વસન્ત   સૂની   વાડીઓ
  મારા સૂનાં  સવાર ને  બપોર   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      સહિયરને    સંગ   હું   બહાવરી
        મારો  ક્યાં  છે  કળાયેલ  મોર  રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનું    સૂનું    આભ   આંગણું
  ને વળી સૂની સંસારિયાંની વાટ રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      માથે     લીધાં    જળબેડલાં    રે
        હું  તો   ભૂલી  પડી   રસઘાટ   રે
           સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂની    સૂની    મારી     આંખડી
  ને પેલો સૂનો  આત્માનો  આભ  રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      પ્રીતમ    પ્રેમ     કેમ     વીસર્યા
        એવો દીઠો અપ્રીતમાં શો લાભ  રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનાં    સૂનાં      ફૂલે      ફૂલડાં
  મારા  સૂનાં  સિંહાસન   કાન્ત   રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      આંબાની    ડાળી   મહોરે    નમી
        મહી    કોયલ   કરે   કલ્પાંત   રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનો    સૂનો     મારો     માંડવો
  ને ચારુ સૂના  આ ચન્દની ચોક રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      રસિયાને      રંગમહેલ    એકલી
        મારે   નિર્જન   ચૌદેય   લોક   રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

સૂનો   હિન્ડોલો   મારા    સ્નેહનો
  ને કાંઈ સૂનો આ દેહનો હિન્ડોલ રે
    સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે
      વહાલાની    વાગે   દૂર   વાંસળી
        નાથ  આવો  બોલો  એક  બોલ રે
          સ્નેહધામ     સૂનાં     સૂનાં     રે

ટિપ્પણીઓ નથી: