સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 4 જુલાઈ, 2016

ચિ. દિલીપ માટે

પાણી  ના  ભીંજવી  શકે પ્રલયનો વાયુ  ન  શોષી શકે;
નિત્ય સ્થાણુ અનન્ત નિશ્ચલ,  ભલે ગીતા ભણે આત્મને
તોયે  અન્તરમાં  સનાતન  સૂરો  ન  સ્થિરતા  એ  ગ્રહે.

આત્મા શાશ્વત; તો પછી મરણ શું? ક્યાંથી પ્રવેશ્યું જગે
કોણે એ  ઉપજાવ્યું  ને  સ્વરૂપ શું?  કેવી રીતે  એ રહે!
મૃત્યુને  નથી મૃત્યુ  શું?  જગતને  કો'ના નિયોગે ગ્રસે!
પ્હેલાં શું  જગતમાં હતું મરણની,  એના પછી  શું હશે?

મૃત્યુને  અધિકાર  શો   જગતના  સૌન્દર્ય   સંહારવા?
નિર્મી જે  ન  કંઈ  શકે, કૃતિ કહાં તૈયાર  તે  ભાંગવા?
એની જો અનિવાર્યતા જગતમાં  તો  કાં બધાં જન્મતાં?
મૃત્યુ ના પરિહાર્ય તો  જનમવું   એથી શી  મોટી પીડા!

કે જન્મ્યાં જ નથી  ચરાચર બધાં તત્વો  દિસે  જે જગે
કલ્પી  લે   અનુમાનથી  મરણને   અધ્યાસના   કારણે!

ટિપ્પણીઓ નથી: